ધ્રાંગધ્રા વોર્ડ નં.૪માં શૌચાલયની બદતર હાલતથી રહીશો ખફાઃ જવાબદાર સભ્યનું રાજીનામું મગાશે
ધાગધ્રા,તા.૩૦:ધાંગધ્રા વોર્ડ નંબર ૪ માં દિલ્હી દરવાજા પાસે શૌચાલય બેસુમાર હાલત અને ભારે ગંદકી જોવામાં આવી આજુબાજુના રહીશો ગંદકીનો સામનો કરે છે છેલ્લા છ મહિનાથી કોઈ જ સફાઈ કરવામાં આવી નથી અને સૂત્ર સભ્યને મૌખિક રજૂઆત અનેક વખત કરવામાં આવી છતાં કોઈ જવાબ આપતા નથી.
હવે સભ્યો માટે શરમજનક વાત કહેવાય કા તાત્કાલિક વોર્ડ નંબર ૪ ના જેટલી ગંદકી છે તે દૂર કરે અથવા તેમનું રાજીનામું જાહેર કરે હવે ટૂંક સમયમાં વોર્ડ નંબર ૪ ના રહીશો દ્વારા સુધરાઇ સભ્ય વિરોધમાં આવેદનપત્ર આપવાનું નકકી કરાયું છે.
વોર્ડ નંબર ૪ના સુધારાઇ સભ્યો વોર્ડમાં જોવા મળતા નથી.વોર્ડ નંબર ચાર સુધરાઇ સભ્ય તો ગુમ થયા છે પણ ગઈકાલે દિલ્હી દરવાજા પાસે જે નવા શૌચાલય બનાવ્યા છે તેનું હજુ મુહૂર્ત પણ નથી થયું અને પાણીની મોટર ગુમ થઈ ગઈ મોટી બેદરકારી સુધરાઇ સભ્ય ની કહેવાય છે.