સાવરકુંડલા શહેરના સી.સી.રોડ ની પ્રથમ વાર્ષિક તિથી નિમિતે શ્રધ્ધાંજલી...
સાવરકુંડલાઃ સાવરકુંડલા શહેરમા ગત વર્ષે જુન મહિનામાં દેવળા ગેઇટ થી મેઇન બજાર તથા ગૌશાળા થી નાવલી પોલીસ ચોકી સુધીના બનેલ સી.સી.રોડ સંપૂર્ણપણે તુટી ગયેલ હોય, સાવરકુંડલાની સહનશીલ જનતા વતી હાર્દીક શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. લોકોના ટેકસના પૈસા દ્વારા બનેલ આ રોડ સાવ નબળા મટીરીયલ્સથી બનાવવામાં આવ્યો હતો. આ કામ રાખનાર રાજકિય નેતાનું પીઠબળ ધરાવતી એજન્સી અને તત્કાલીન નગરપાલિકાની મિલીભગતથી બનેલા આ રોડને હૃદયપૂર્વક હાર્દીક શ્રધ્ધાંજલી.તેમ કહીને સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા વિરોધ કરવામા આવ્યો હતો.સાવરકુંડલા શહેરમા તાજેતરમાં બનેલા સી સી રોડ તુટી ગયેલ હોય અનોખી રીતે વિરોધ દર્શાવવામા આવ્યો હતો.(તસ્વીર -અહેવાલઃ ઈકબાલ ગોરી -સાવરકુંડલા)