સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

જામનગરમાં અષાઢી બીજ પૂર્વે એસ.પી. ડી.વાય.એસ.પી.ની આગેવાનીમાં નિરીક્ષણ

જામનગર :  જામનગરમાં અષાઢી બીજ પૂર્વે નાગનાથ ગેટ વિસ્‍તાર, ગ્રેઇન માર્કેટ, કડિયાવાડ, ત્રણ બતી, બેડી ગેટ વિસ્‍તાર સહિત શહેરના વિવિધ વિસ્‍તારમાં એસપી પ્રેમસુખ ડેલું અને ડીવાયએસપી ઉપરાંત એલસીબી, એસઓજી, સીટી એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનનો પોલીસ કાફલો પહોંચ્‍યો હતો. બુધવારે ખુદ એસપીએ જામનગરના વિવિધ વિસ્‍તારોમાં ફરી શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે નિરીક્ષણ કર્યું હતું.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:09 pm IST)