સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

મોરબી મચ્છુ-૨ નહેરની માઇનર પાઇપ નહેરનું સાંજે બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેકટ માઈનોર પ્-૨/ય્ ની પાઇપ નેહરનો લોકાર્પણ કાર્યક્રમ ૩૦મી જૂને સાંજે ૪ કલાકે યોજાશે.

મચ્છુ-૨સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેકટ માઇનોર પ્-૨/ય્ નું રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ થકી પ્-૨/ય્ ના કમાન્ડ વિસ્તારનાં ખાતેદારોને સિંચાઇની સુવિધા ઉપ્લબ્ધ થશે.

આ કાર્યક્રમમાં રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લાના પદાધિકારી, અધિકારીઓ ઉપસ્થિત રહેશે

(1:06 pm IST)