સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

જામનગરના વિભાપર પાસે યુવક-યુવતીનો આપઘાત

વિનોદ સારીયા અને મહુવાની હેતલ ચૌહાણે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ : મૃતક યુવતી પરણિત હોવાનું ખુલ્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩૦  : જામનગરના વિભાપર પાસે યુવક-યુવતીના મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી ગઇ છે. 

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના વિભાપર પાસે આવેલી વાડી વિસ્તારમાં રાજપાર્કમાં રહેતા ૨૬ વર્ષથી વિનોદ સારીયા અને મૂળ મહુવાના હેતલ ચૌહાણ નામના ૨૨ વર્ષીય યુવતી દવા પીધેલી હાલતમાં મૃતદેહ આવ્યા હતા.

આ અંગેની જાણ થતા જ તાત્કાલિક બીડી મરીન પોલીસ સ્ટેશનના પી.ઍસ.આઇ સી.ઍમ. કાંટેલીયા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ અંગે પ્રાથમિક તપાસ દરમિયાન હેતલ ચૌહાણ નામની યુવતી પરિણીત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કયા કારણોસર બંનઍ કર્યો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (તસવીરોં કિંજલ કારસરીયા, જામનગર)

(12:33 pm IST)