ટંકારા, જામકંડોરણા, જેતપુર તાલુકા પંથકના રોડ રસ્તાના કામોને મંજુરી : જિલ્લા ભાજપ આગેવાનોની રજુઆત ફળી
રાજકોટ તા. ૩૦ : રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલાએ કરેલ રજુઆતના આધારે ટંકારા, જામકંડોરણા, જેતપુર તાલુકાના ગામોને જોડતા રસ્તાઓ માટે આ વિસ્તારના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું ધ્યાન દોરતા રોડ રસ્તાના કામોને મંજુરી આપવામાં આવી છે.
જે મુજબ પડધરીના ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં વિસામણથી ધરમપુર ગામને જોડતા રસ્તા માટે માટીકામ, મેટલકામ, ડામરકામ, નાળા કામ, સંરક્ષણ દિવાલ, કોઝવે, સીસી રોડ સહીતના કામોના રૂ.૩૬૦ લાખ, જામકંડોરણા તાલુકાના પીપરડી-બંધીયા રોડ, બાલાપર પાદરીયા રોડ, ઉજળા નાગબાઇ ધાર મંદિર રોડ, રાયડી જશાપર રોડ, ઉમરાળી હડમડીયા રોડ માટે રૂ.૧૦૭૦ લાખ મંજુર કરવામાં આવેલ છે.
તે બદલ રાજકોટ જિલ્લા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ હેરમા, મહામંત્રીઓ છગનભાઇ વાંસજાળીયા, મુકેશભાઇ તળપદા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઇ બાંભવા, જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભાઇ ચૌહાણ, મહામંત્રીઓ ગૌતમભાઇ વ્યાસ, સુરેશભાઇ રાણપરીયા, તાલુકા પંચાયત પ્રમુખ હિરેનભાઇ બાલધા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઇ સરવૈયા, મહામંત્રી નરશીભાઇ સોજીત્રા, અશોકભાઇ ઉંધાડ, તાલુકા પંચાયત પ્રમુખ ધારાગૌરીબેન સુરેશભાઇ કયાડાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, સાંસદો-ધારાસભ્યોનો આભાર વ્યકત કરેલ છે.