સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ખંભાળીયાનાં વિરમદળ અને બોટાદના લાઠીદડમાં વિજળીએ ૪ નો ભોગ લીધો

મેધરાજાની સાથોસાથ વિજળી ત્રાટકતા લોકોમાં ભયનો માહોલ

રાજકોટ તા. ૩૦ : ખંભાળીયાના વિરમદળમાં અને બોટાદના લાઠીદડમાં વિજળી પડતા ૪નો ભોગ લેતા અરેરાટી વ્યાપી છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાીયા દ્વારકા જિલ્લામાં આજે સવારથી અસહ્ય બફારા વચ્ચે વરસાદી વાદળો બંધાયા હતા વિજળીના કડાકા ભડાકાથી લોકોમાં પણ ભયનો માહોલ સજાર્યો હતો. વાદળાઓ કાળા ડિબાંગ થઇ જતાં મેઘો તુટી પડવાના એંધાણ લાગી રહ્યા હતા. લોકોની આતુરતાના અંત સાથે ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાં આંશિક રાહત થઇ હતી. વિજળીના અતિ ભયાનક કડાકાથી નકકી વિજળી કોઇ સ્થળે પડી હોય તેવું લાગી રહ્યું હતું જેની થોડીવારમાં વિજળી ખંભળીયા તાલુકાના વિરમદળ ગામે વાડીમાં પબીબેન સગાભાઇ ડાંગર (ઉ.૪ર) તથા કોમલબેન કરશનભાઇ ડાંગર (ઉ.ર૦) ઉપર વિજળી પડતા બે મહિલાનું મોત નિપજયું છે. બનાવના પગલે ગામના સરપંચ સહિતના દોડી જઇ ૧૦૮ ઇમરજન્સીમાં ફોન કરતા ઇએમટીએ બંનેને મૃત જાહેર કરી ખંભાળિયા પોલીસને જાણ કરી હતી. મૃતદેહને ખંભાળીયા સિવિલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે આહિર પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

બોટાદનો અહેવાલ

બોટાદ જીલ્લાના લાઠીદરમાં વિજળી પડતા ૬૦ વર્ષના આધેડ અને પ વર્ષની બાળાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

(4:26 pm IST)