સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ભાવનગરમાં શિહોર અને વલ્લભીપુરમાં કોરોનાના વધુ ર કેસ

ભાવનગર તા. ૩૦ : ભાવનગરમાં આજે સવારે વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. સિહોર અને વલ્લભીપુરમાં પોઝીટીવ કેસ આવતા બન્ને દર્દીઓને ભાવનગર હોસ્પીટલ ખસેડાયેલ છે.

કોરોનાનો કહેર ચાલુર હ્યા છે. આજે મંગળવારે સવારે બે કેસ નોંધાયા છે. સિંહોરના કંસારા બજારમાં રહેતા મુંબઇથી આવેલ જયેશભાઇ પ્રાણલાલકંસારા ઉ.૪પ તથા વલ્લભીપુરના ફુલવાડી વિસ્તારમાં રહેતા ચમનભાઇ દલવાડીયા ઉ.૭૦નો રીપોર્ટ પોઝીટીવ આવતા બન્ને ભાવનગરની સરટી.હોસ્પીટલમાં ખસેડાયેલ છે.આ સાથે ભાવનગર જીલ્લાનો કુલ કોરોના પોઝીટીવનો આંક વધીને રપ૦ એ પહોંચી ગયો છે.

(11:56 am IST)