સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગનો ત્રીજો માળ ધરાશાયી : એક વ્યક્ત દટાયો :કાટમાળ નીચેની દુકાન પર પડતા નુકસાન

આદર્શ સોસાયટી ત્રણ માળનો એક ભાગ તુટી પડ્યો: સદ્દનસીબે કોઈ મોટી જાનહાની થઇ નથી

ભાવનગર: શહેરના ભરતનગરમાં ત્રણ માળિયાનો એક માળ ધરાશાયી થતા એક વ્યક્તિ દટાયો હતો. જો કે તેને સામાન્ય ઈજાઓ જ પહોંચી છે મોટી હોનારત થતા અટકી ગઈ હતી. 

ભરતનગરની આદર્શ સોસાયટી ત્રણ માળનો એક ભાગ તુટી પડ્યો હતો. વરસાદને કારણે જર્જરિત બનેલ ઈમારતનો માળ તૂટી પડ્યો હતો. ત્યારે તૂટેલો કાટમાળ નીચે આવેલી દુકાન પર પડતા દુકાનને ભારે નુકશાન પહોંચ્યુ હતુ અને એક વ્યક્તિ કાળમાળ નીચે દટાઈ હતી જો કે સદ્દનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ. દટાયેલી વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. 

(11:55 am IST)