News of Tuesday, 30th June 2020
જૂનાગઢમાં સેનીટાઇઝેશનની કામગીરી
જૂનાગઢઃગઈકાલે મોડી રાત્રે નવા નાગરવાડા વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટ તેમજ સમગ્ર વિસ્તારમાં મ.ન.પા. જૂનાગઢ દ્વારા સેનિટાયઝ કરવાની કામગીરી આ વિસ્તારના ચુટાયેલા નગરસેવક હિતેષભાઈ ઉદાણી (ગાંધી) ની આગેવાની હેઠળ કરવામાં આવી.શહેરની મધ્યમાં આવેલ તેમજ આ ગીચ વિસ્તારોમાં મોટી ખુબજ મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે અને આ લોકોની આરોગ્ય પ્રત્યે સુખાકારી જોતા મ.ન.પા જૂનાગઢ તેમજ આ નગરસેવક દ્વારા આ કામગીરી હાથ ધરાઇ છે.તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(11:40 am IST)