સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

મોરબી પાસે અકસ્માતમાં હળવદના બે યુવાનોના મોત

રમેશ કેશવજીભાઇ રાઠોડ અને અશોક વનનારાયણ વિશ્વકર્મા બાઇક ઉપર મોરબીથી મિસ્ત્રી કામ કરી હળવદ જતા'તાને કારે ઉલાળતા એકનું ઘટના સ્થળે અને બીજાનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત

મોરબી તા. ૩૦ : મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુટુ ગામ નજીક બાઈકમાં પસાર થઈ રહેલા હળવદના બે યુવાનના બાઇકને કારચાલકે હડફેટે લેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતુ તો અન્ય યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં હોય જયાં તેનું મૃત્યુ નીપજયું હતું.

ઙ્ગમળતી માહિતી મુજબ મોરબીમાં મિસ્ત્રી કામ પૂરું કરીને હળવદ તાલુકાના બે યુવાનો રાત્રીના બાઈકમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુટુ ગામ પાસેથી પસાર થતા સમયે કારના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું.જેથી બાઈક સવાર બંને યુવાનોને ગંભીર ઇજ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરતા સમયે એક યુવાનનું મૃત્યુ નીપજયું હતું.તો અન્ય યુવાનને ૧૦૮ મારફતે મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.

બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતકના નામ રમેશભાઈ કેશવજીભાઇ રાઠોડ જાતે મિસ્ત્રી (ઉં.૪૭) અને અશોકભાઈ વનનારાયણ વિશ્વકર્મા (ઉં.૪૦) રહે, હળવદ હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતક રમેશભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જ્યારે મૃતક અશોક અપરણિત છે. બનાવ અંગે તાલુકા પોલીસના હેડ કોન્સ. જે.પી.કણસાગરાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)