સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

વાંકાનેર જીનપરા ગૌશાળા રોડ ઉપર ટી.સી. મુકાયુ - વિજ ધાંધીયા ઘટશે

વોર્ડ નં. ૩ના નગરસેવીકાની રજૂઆતને સફળતા

વાંકાનેર તા. ૩૦ : ઙ્ગજીનપરા વોર્ડ નં. ૩માં વિજળીના ધાંધીયા ખુબ વધી ગયા હતા. આ ઉપરાંત ગૌશાળા રોડ ઉપર મુળમાંથી સડી ગયેલા - તૂટેલા વિજ થાંભલા જોખમરૂપી ઉભા હતા. છાશવારે ખોરવાતા વીજ પ્રવાહથી આ વિસ્તારના રહીશો તોબા પોકારી ગયા હતા અને આ વિસ્તારના નગરસેવીકા જ્યોત્સનાબેન મકવાણા તથા મોરબી જિલ્લા કોળી સેના પ્રમુખ રમેશભાઇ મકવાણાને આ અંગે રજૂઆતો કરતા લોકોની સાચી ફરિયાદને તુરંત ધ્યાનમાં લઇ પી.જી.વી.સી.એલ.ના એકઝીકયુટીવ એન્જીનિયરશ્રીને રમેશભાઇ મકવાણા તેના ટેકેદારો પ્રકાશ સીણોજીયા, અમીતવન ગોસ્વામી, રમેશભાઇ પટેલ, પવન મકવાણા સહિતના લોકોએ રજૂઆત સાથે મુળમાંથી તૂટી ગયેલા વિજપોલની તસ્વીરો રજુ કરતાની સાથે જ એજ્યુ. એન્જીનિયરશ્રીએ તાત્કાલિક સર્વે કરી નવા વિજપોલ, કેબલ, ટી.સી. ફીટ કરાવી લોકોના પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ કરી આપતા કોળી જ્ઞાતિના અગ્રણી રમેશભાઇ મકવાણા અને ટીમે પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રીનો આભાર માન્યો હતો.

(11:30 am IST)