સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

મોડીસાંજે ખનીજ ચોરી મામલે ખાવડામાં પોલીસ પર હુમલો :પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મીને ઈજાઓ

રેતી ભરેલું ટ્રેકટર પોલીસે અટકાવતાં ઘર્ષણ: પોલીસ ઉપર પથ્થરમારો : ડીએસપી,ડીવાયએસપી સહીત પોલીસનો કાફલો પહોંચ્યો

ભુજ: કચ્છમાં ખનીજ ચોરી મામલે પોલીસની કડક કાર્યવાહી વચ્ચે આજે ખાવડા નજીક પોલીસ અને ખનીજ ચોરી કરી રહેલા તત્વો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બનાવ આજે મોડી સાંજે ખાવડા પાસે આવેલા જુણા ગામ પાસે બન્યો હતો. જેમાં રેતી ભરેલું ટ્રેકટર પોલીસે અટકાવતાં ઘર્ષણ થયું હતું અને એકઠા થઈ ગયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં ખાવડા પીએસઆઇ જાડેજા સહિત ચાર પોલીસ કર્મીઓ ઘવાયા હતા.

  પોલીસ ટીમ ઉપર હુમલાના આ બનાવની જાણ થતાં જ ડીએસપી સૌરભ તોલંબિયા, ડીવાયએસપી જયેશ પંચાલ સહિત પોલીસ ટીમ ત્યાં ધસી ગઈ છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને ભુજ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.

(10:35 pm IST)