સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th May 2019

દાઉદી વ્હોરા સમાજની મંગળવારે ઈદઃ સોમવારે અંતિમ રોઝુ

વિશ્વ શાંતિ, ભાઈચારા માટે ડો.સૈયદના સાહેબ દુઆ કરશેઃ રવિવારે જાગરણઃ રાજકોટમાં ૧૫ જગ્યાએ નમાઝ

રાજકોટઃ વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ આલી કદર ડો.સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) હાલમા મુંબઈ ખાતે બીરાજમાન છે. મુંબઈ ખાતે દરરોજ અલગ અલગ મસ્જીદોમા નમાઝ પઢાવે છે. આગામી સોમવારના રોજ પવિત્ર રમઝાન માસનું  છેલ્લુ રોઝુ છે અને તા.૪ જૂન મંગળવારના રોજ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદ ઉલ ફિતરની ઉજવણી વિશ્વભરમાં થશે.

આગામી રવિવારના રોજ રમઝાન માસની ૩૦મી રાત છેલ્લીરાત હોય આ રાતના વહેલી સવાર સુધી (જાગરણ) ખુદાતઆલાની ઈબાદત કરી રોઝા, ખેરના કામો, નમાઝ માટે શુક્રર ગુજારશે.

રાજકોટમાં નુરમસ્જીદ, નજમી મસ્જીદ, બુરહાનીયા મસ્જીદ, બદરી મસ્જીદ, કુત્બી મસ્જીદ, એવન કેટરર્સ હોલ, મોહંમદી રેસીડેન્સી, તાહેરી મોહલ્લા, અમાકીન, ઈઝઝી મોહલ્લા, મોહંમદી બાગ, હાતીમી મોહલ્લા, બદરી હોલ, એકજાન સોસાયટી, ઝકવી હોલ, ગાંધી સોસાયટી, બુરહાનીનગર સહીત કુલ પંદર જગ્યાએ પવિત્ર રમઝાન માસ નિમીતે નમાઝ ત્યાંના સાહેબો પઢાવે છે.

ઈદ ઉલ ફિતરના દિવસે સવારે ઈદની નમાઝ બાદ દેશની ઉન્નતી, વિશ્વશાંતિ, સર્વધર્મ, સદ્દભાવના, ભાઈચારા માટે તેમજ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ના સ્વાસ્થય દીધાર્યુ થાય તે માટે દુઆઓ કરશે તેમ શેખ યુસુફભાઈ જોહરકાર્ડસ વાલાએ જણાવ્યુ હતું.

(11:36 am IST)