સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

જુનાગઢમાં અધિક માસ નિમીતે ગિરીરાજની મહા આરતી

જુનાગઢ : પુરૂષોતમ માસની અગિયારશ એટલે (દેવ દિવાળી)તુલસી વિવાહ દિવસ કહેવાય એકાદશી પણ કહેવાય શ્રીસહિતા મહિલા મંડળના પ્રમુખ વિણાબેન પંડયા દ્વારા તળાવ દરવાજા શેરી નં.ર ની બહેનો એ અગિયારસના રોજ ગિરીરાજજી પધરાવ્યા અને મહા આરતી કરી પરિક્રમા પણ કરેલ અધિકમાસના ધાર્મિક કાર્યક્રમમાં વિણાબેન પંડયા ને દિવ્યાબેન, હર્ષિતાબેન, કાંતાબેન, શિતલબેન, નેહાબેન સહિતના બહેનોએ જહેમત ઉઠાવી હતી (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા) (૩.૧૭)

(12:56 pm IST)