News of Wednesday, 30th May 2018
મોરબીના ચાંચાપરમાં વીજ ધાંધિયાથી ધરતીપુત્રો પરેશાનઃ સુકાતો પાક
ચાંચાપર મોરબી તા.૩૦ : છેલ્લા ૩/૪ દિવસથી વિજળીના ધાંધિયા શરૂ થયા હોવાનુ઼ જાણવા મળે છે. પરિણામે ધરતીપુત્રોને ખેતી કાર્યમાં ઘણી બધી અગવડતા પડી રહી છે.
કાળઝાળ ગરમીમાં છાશવારે ત્રણ-ત્રણ કલાક સુધી રીપેર માટે કોઇ ભાવ પુછતું નથી !!
તેમજ હાલમાં ખેડુતો એ મોટાપાયે ઉનાળુ પાક વાવેલ છે. પણ આવા વખતેજ વિજતંત્રે ધાંધિયા શરૂ કર્યા હોવાનું બોલાય છે. જેથી ધરતીપુત્રોનો ઉભો પાક સુકાતો હોવાનું જાણવા મળે છે.
(12:05 pm IST)