જુનાગઢ પાસે ર બાઇકની ટક્કરમાં ર યુવકોના મોત
જુનાગઢના સુખપુરના દિનેશ મેવાડા અને જેતલસરના કિશન વાઘેલાનો ભોગ લેવાયોઃ ર યુવકોને નાની-મોટી ઇજા
જુનાગઢ, તા., ૩૦: જુનાગઢ પાસે રાત્રે બે બાઇક સામસામા અથડાતા દિનેશ મેવાડા અને કિશન વાઘેલા નામના બે યુવાનના મૃત્યુ નિપજયા હતા. તેમજ આ અકસ્માતમાં બે યુવકને નાની મોટી ઇજા થઇ હતી.
આ અકસ્માતની વિગતો એવી છે કે જુનાગઢ તાલુકાના સુખપુર ગામે રહેતા દિનેશ જીવાભાઇ મેવાડા (ઉ.વ.ર૬) અને અરવિંદભાઇ ભીખાભાઇ (ઉ.વ.ર૦) નામના બે ભરવાડ યુવાન તેમના જીજે૧૧ બીજી પ૧પર નંબરના મોટર સાયકલ ઉપર બેસીને રાત્રીના ૮.૩૦ના અરસામાં જુનાગઢપાસેના વડાલ રોડ પર આવેલ પેટ્રોલ પંપ નજીકથી પસાર થઇ રહયા હતા.
ત્યારે સામેથી જેતપુરના જેતલસરનાં કિશન ચનાભાઇ વાઘેલા (ઉવ.૩૦) નામનો કોળી યુવાન અને બકુલ શામજીભાઇ (ઉ.વ.૪ર) તેમના બાઇક નં. જીજેે૧૧ સીસી-૯પ૬૩ ઉપર પુરપાટ ઝડપે આવતા તેમની મોટર સાયકલ દિનેશ મેવાડાની બાઇક સાથે અથડાઇ હતી.
જેમાં ચારેય યુવાનો ફંગોળાઇ જતા ઇજા પામ્યા હતા. આ ઇજાગ્રસ્તોને તાત્કાલીક જુનાગઢની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં દિનેશ મેવાડા અને કિશન વાઘેલાનું મૃત્યુ નિપજયું હતું.
આ અકસ્માત અંગે અરવિંદ ભરવાડે મૃતક કિશન વાઘેલા સામે ફરીયાદ નોંધાવતા જુનાગઢ તાલુકાના પોલીસેધોરણસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માતની વધુ તપાસ પોલીસ જમાદાર કે.જે.ડાભી ચલાવી રહયા છે.
જુનાગઢ પાસેનો વડાલ રોડ અકસ્માત ઝોન બની રહયો હોય વાહન ચાલકોએ સાવચેતીથી વાહન હંકારવું જોઇએ તેવી લાગણી પ્રવર્તે છે.