સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

વાંકાનેરના ચંદ્રપુરમાં ત્રણ મહિનાથી પાણીના ધાંધિયા ;રસ્તા રોકો આંદોલનની ચીમકી

અવારનવાર પંચાયતને મૈખિક રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી ;તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું

 

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં ત્રણ મહિનાથી પાણીના ધાંધિયા સર્જાતા રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ગ્રામજનોએ માસથી પાણીની તંગીથી કંટાળીને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી સમસ્યાનો ઉકેલ તાકીદે નહિ આવે તો રસ્તા રોકો આંદોલનની ચમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

  વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના ગ્રામજનોને છેલ્લા માસથી પાણીની તંગી વેઠવી પડે છે અને ક્યારેક ૧૦ કે ૧૫ દિવસે પાણી મળે છે.આકરા તાપમાં પાણી માટે હેરાન થવું પડે છે.અવારનવાર પંચાયતને મૈખિક રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેમ ગ્રામજનોને જણાવ્યું હતું. સમસ્યાનો કોઈ ઉકેલ તાકીદે કરવામાં નહિ આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

---- 

(10:20 pm IST)