સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

વવાણિયામાં કોરોનાને નાથવા બાપા સીતારામના મંદિરે હવન યોજાયો :કોરોનાની મહામારીમાંથી દેશને ઉગારવા પ્રાર્થના કરી

માળીયા (મી.) : કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં કાળો કહેર વર્તાવ્યો છે. દરરોજ અનેક લોકો કોરોનાનો ભોગ બની જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે માળીયા (મી.)ના વવાણિયા ગામે કોરોનાને દુર કરવા બાપા સીતારામના મંદિરે હવનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત લોકોએ કોરોનાની મહામારીમાંથી દેશને ઉગારવા પ્રાર્થના કરી હતી

(8:39 pm IST)