સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 8 લોકોના મોત :નવા 272 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 180 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 138 કેસ ,જૂનાગઢ તાલુકામાં 21 કેસ, વિસાવદરમાં 22 કેસ, માંગરોળમાં 19 કેસ, માણાવદરમાં 18 કેસ, કેશોદમાં 17 કેસ, મેંદરડામાં 12 કેસ, માળીયામાં 11 કેસ, વંથલીમાં 8 કેસ, ભેસાણમાં 6 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે વધુ 8 લોકોના મોત થયા છે આજે  કોરોનાના નવા 272 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 180 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 272 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 138 કેસ ,જૂનાગઢ તાલુકામાં 21 કેસ, વિસાવદરમાં 22 કેસ, માંગરોળમાં 19 કેસ, માણાવદરમાં 18 કેસ, કેશોદમાં 17 કેસ, મેંદરડામાં 12 કેસ, માળીયામાં 11 કેસ, વંથલીમાં 8 કેસ, ભેસાણમાં 6 કેસ નોંધાયા છે

 

(8:24 pm IST)