સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

કોરોના કેસ વધતા ચોટીલા ચામુંડા મંદિર-સિદસર ઉમીયા ધામમાં ભાવીકો માટે દર્શન બંધ

(હેમલ શાહ-દર્શન મકવાણા દ્વારા) ચોટીલા-જામજોધપુર, તા., ૩૦: કોરોના કેસ વધતા ચોટીલા શ્રી ચામુંડા માતાજી મંદિર, જામજોધપુરના સિદસરમાં શ્રી ઉમીયાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારીને કારણે અગાઉ તા.૩૦-૪ સુધી મંદિરના દ્વાર ભકતજનો માટે બંધ રાખવાનો નિર્ણય કરેલ હતો.પરંતુ વર્તમાન કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તથા ભકતજનોની સુરક્ષાને ધ્યાનમાં લેતા શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે હજુ ૧૦ દિવસ એટલે કે તા.૧૦-પ સુધી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.જામજોધપુરના સિદસરમાં આવેલ શ્રી ઉમીયાધામ મંદિર હાલ કોરોનાના સતત વધતા જતા કેસની સંખ્યાને ધ્યાને લઇ સરકારશ્રીના આદેશ મુજબ ફરીથી સુચના ન મળે ત્યાં સુધી મંદિર દર્શન વ્યવસ્થા તથા તમામ પ્રવૃતિઓ બંધ રાખવામાં આવેલ છે તેમ શ્રી ઉમીયા માતાજી મંદિર ટ્રસ્ટએ જણાવ્યું છે.

(4:03 pm IST)