સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

પોરબંદરમાં કોરોનાથી ૧ મોતઃ નવા ૩૯ પોઝીટીવ કેસઃ ૩૦ દર્દીઓ સારવારમાં સાજા થયા

(પરેશ પારેખ, સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦: ર૪ કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત નિપજયું છે કોરોના પોઝીટીવના નવા ૩૯ કેસ આવ્યાં છે તેમજ ૩૦ દર્દીઓ સારવારમાં સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ગઇકાલે કોરોનાના ૩૪પ વ્યકિતઓના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં ૩૯ વ્યકિતઓનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યાં હતો જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના કુલ કેસની સંખ્યા ૩૯ પહોંચી છે. આ કોરોનાના નવા કેસ મીલપરા, કડીયા પ્લોટ, ઝુંડાળા સ્ટેશન પ્લોટ વગેરે વિસ્તારોમાંથી આવ્યાં છે. ર૪ કલાકમાં ૧ દર્દીનું કોરોનાથી મૃત્યું થયેલ છે.

કોરોનાની સારવારમાં ૩૦ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૧ર૧૯ દર્દીઓ કોરોનાની સારવારમાં સાજા થઇ ગયેલ છે.

સિવિલ હોસ્પિટલમાં હાલ ૪૮ દર્દીઓ તેમજ કોવિડ કેર સેન્ટરમાં ૧ર દર્દીઓ નવા સારવાર લઇ રહેલ છે. હોમ આઇસોલેશનમાં ૧ર૭ દર્દીઓ છે.

(12:09 pm IST)