સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th March 2020

મોરબી જેલ સ્ટાફ પણ સેવાકાર્યમાં અગ્રેસરઃ ૫૦૦ લોકોને નાસતો -પાણીની બોટલ પહોંચાડી

મોરબી,તા.૩૦: કોરોના લોકડાઉનની સ્થિતિમાં ગરીબોના મદદ કરવા સેવાભાવી સંસ્થાઓ અને લોકો સતત ભોજન અને નાસ્તો પહોંચાડી સેવાકીય કાર્યો કરી રહયા છે જે સેવાકાર્યોમાં પોલીસની ટીમો પણ પાછળ નથી અગાઉ મોરબી સીટી એ ડીવીઝન સહિતની ટીમ દ્વારા ગરીબોને નાસ્તો અને ભોજન આપ્યો હતો તો મોરબી સબ જેલના સ્ટાફે તાજેતરમાં ગરીબોને નાસ્તો આપ્યો હતો મોરબી સબજેલના અધિક્ષક એલ વી પરમાર અને તેના સ્ટાફ દ્વારા ગરીબોને પુલાવ, બુંદી, ગાંઠિયા, બિસ્કીટ અને પાણીની બોટલોનું ૫૦૦ જેટલા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

(11:48 am IST)