ઉપલેટા તાલુકાના ખારચીયાના બાપા સીતારામ આશ્રમ દ્વારા ટીફીન સેવા
ઢાંક : ઉપલેટા તાલુકાના ખારચીયાના બાપા સીતારામ આશ્રમ દ્વારા ખારચીયા રબારીકા, રાજપરા, ચરેલીયા, ઢાંક તેમજ આજુ બાજુના ગામના મજૂરો, ભૂખ્યાઓ તેમજ ગરીબોને ટીફીન સેવા પૂરી પાડવામાં આવી રહ્યા છે. આ કોરોનાની મહામારીમાં ફરીથી સાર્થક થાય છે. કાઠીયાવાડમાં કોકદીક ભૂલો પડને ભગવાન તને સ્વર્ગ ભૂલાવા શામળા. આ મહામારીમાં ભૂખ્યાઓની જઠારાગ્નિ ઠારવાનું તેના ઘરે ઘરે અને ગામે ગામ રૂબરૂ જઇને ટીફીન સેવા પૂરી પાડવામાં પોતાની પરવા કર્યા વિના મહંતશ્રી સીતારામ દરરોજ બાપા સીતારામ આશ્રમે જાય છે ત્યાંના મહંતશ્રી સીગતારામ બાપુ, મીરામા,, ભરતભાઇ લુણશિયા, કલ્પેશ મહેતા, ભુપતભાઇ બારોટ, ગીરધરભાઇ વાછાણી, લાલો વિરડા, રાજ સોલંકી અને ગટુભાઇ ખુમાણ વગેરે લોકો બાપા સીતારામ આશ્રમમાં સેવા આપી રહ્યા છે.