સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th January 2023

જૂનાગઢમાં પરીક્ષા પે ચર્ચા ૨૦૨૩ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : પરીક્ષા પે ચર્ચા ૨૦૨૩ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના આયોજન નીચે તેમજ સ્‍વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગના યજમાન પદે યોજાઇ ગયો. જે કાર્યક્રમ અંતર્ગત જુનાગઢના લોકલાડીલા ધારાસભ્‍ય  સંજયભાઈ કોરડીયા તેમજ  મહાનગરપાલિકાના મેયર  ગીતાબેન પરમાર, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા તેમજ  જિલ્લા શિક્ષણ અધિકારી ભાવસિંહ વાઢેર સાહેબ જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલભાઈ ઘુંછલા તેમજ એજ્‍યુકેશન ઇન્‍સ્‍પેક્‍ટર જલ્‍પાબેન કયાડા, ભાજપ શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા વગેરે મહેમાનો ઉપસ્‍થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. દેશના પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓ સાથે જે વાર્તાલાપ કરવામાં આવ્‍યો અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્‍નોનું જે કંઈ સમાધાન મેળવવામાં આવ્‍યું જેમાં સ્‍વામિનારાયણ ગુરુકુલ ના ૫૫૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા,જૂનાગઢ)(

(10:46 am IST)