સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th January 2018

જામનગરમાં ગટરના પાણી પ્રશ્ને રજુઆત

 જામનગરઃ લાલવાડીના વર્ધમાનનગરના લતાવાસીઓએ જીલ્લા કલેકટરશ્રીને પત્ર પાઠવીને અપૂર્ણ ભુગર્ભ ગટરની કામગીરીના કારણે લોકોને મુશ્કેલી સર્જાય છે. ગટરનુ ગંદુપાણી તળમા ઉતરતા બોરના પાણી પણ પીવા લાયક રહયા નથી અને આ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેથી રોગચાળો પણ ફેલાવવાની શકયતા છે આ મુદ્દે તાકીદે યોગ્ય ન કરાય તો આંદોલન કરવાની ચિમકી લતાવાસીઓએ ચાપી છે. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(11:34 am IST)