સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દિવ્ય વાઘાના શ્રૃંગાર
વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા આવેલ સૌનું આસ્થાનું પ્રતિક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે તા.૨૭ મીના કારતક વદ આઠમના રોજ શનિવારના રોજ પાવન પર્વે દાદા ને દિવ્ય શણગાર દર્શન પૂજારી સ્વામી શ્રી ડી, કે, સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા મંગળા આરતી પ. પૂ કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીની ઉપસ્થિતીમાં પૂ. પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામીજી દ્વારા કરવામાં આવેલ હતી તેમજ શણગાર આરતી પ. પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ આ પ્રંસગે સૌ સંતો હાજર રહયા હતા તેમજ મંદિરની યજ્ઞશાળામાં શ્રી મારૂતિ યજ્ઞ ભવ્ય યોજાયેલ હતો તથા શનિવાર હોય દાદાના દરબાર કાળ ભૈરવ જયંતી પણ હોય દૂર દૂરથી હજારો ભાવિક, ભકતજનો સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કરવા પધારેલા હતા અને દર્શન કરીને દાદાની આરતીમા નિજ મંદિરમાં હજારો ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધેલ હતો તેમજ દાદાના દરબારમાં ભોજનાલયમાં હજારો ભાવિકોએ મહા પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જયના નારાથી મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતું.