સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 29th November 2021

કંડલા પોર્ટ ઉપર તુર્કીથી આવતાં જહાજના રશિયન ક્રુ મેમ્બરનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૯: તુર્કીથી કાર્ગો લઈને કંડલા પોર્ટ ઉપર આવી રહેલા શિપના ક્રુ મેમ્બરનું મધદરિયે મોત નીપજયું હતું. આ અંગે શિપિંગ એજન્ટ નારાણ પુજારીએ કંડલા મરીન પોલીસને કરેલી જાણ મુજબ ગત ૧૧/૧૧/૨૧ ના તુર્કીથી કંડલા આવવા રવાના થયેલ જહાજના ૫૩ વર્ષીય ક્રુ મેમ્બર કુઝનેપ્સોવ સેરગીનું કંડલા પહોંચવા સમયે મધદરિયે મોત થયું હતું. મૃતક રશિયન નાગરિક હતા અને તુર્કી ના જહાજમાં ક્રુ મેમ્બર હતા તેમનું મોત કુદરતી હાર્ટ એટેકના કારણે થયું હોવાનું જણાવાયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)