સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th November 2020

જામનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણઃ પાંચને ઇજાઃ બેની ગંભીર હાલત

એક જૂથે ખાનગી ગોળીબાર કર્યાની ચર્ચા

જામનગર : લાલપુરમાં ઉગમણાં ઝાપા વિસ્તારમાં રહેતા અને કસાઇ નાતના પૂવ ર્પ્રમુખ એવા ઓસ્માણભાઇ ઇશાકભાઇ સમા અને તેના જૂથ દ્વારા સામા પક્ષના ગુલમામદ જૂસબ આખાણી અને તેના પરિવારના સભ્યો પર જૂની અદાવતના કારણે હૂમલો કરાયો હતો. જયારે આખાણી પરિવાર દ્વાર પણ વળતો હૂમલો કરાયો હતો. અને બંને પક્ષે ધોકા-પાઇપ છરી જેવા હથિયારો ઉડયા હત. જે મારામારીમાં બન્ને પક્ષના મળી સાત વ્યકિતઓ ઘાયલ થઇ છે અને તેઓને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ગુલમામદભાઇ અખાણીને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી જીજી હોસ્પીટલમાં સારવાર દરમિયાન આઠ ટાંકા લેવા પડયાછે. ઉપરંત શબ્બીર હુસેન વગેરે ૪ ને નાની મોટી ઇજા થઇ છે.

જયારે સામાપક્ષે આરીફ અબ્દુલ સોલંકીએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના અન્ય ૩ સભ્યો પર હૂમલો કરવા અંગે સામા જૂથના અક્રમ હલુભાઇ, અસલમ ઉર્ફે ભદો હલુભાઇ, ગુલમામદ આમદ, સબીર હુસેન સહિત સાથ જેટલા શખ્સો સામે વળતી ફરીયાદ નોîધાવી છે. આ બનાવને લઇને લાલપુર પંથકમાં ભારે દોડધામ મચી ગઇ છે.

(1:51 pm IST)