શિયાળાના આગમન સાથે જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન
જામનગરમાં આ વરસે ચોમાસું લાંબુ ચાલતા જળાશયો અને નદીનાળા હજુ પણ છલકાઇ રહયા છે જેની સીધી અસર પક્ષીઓના આવા ગમન અને નેસ્ટીંગ પર જોવા મળી રહી છે.સારા વરસાદ માં જામનગરની ભાગોળે આવેલું ખિજડીયા પક્ષી અભ્યારણ્ય કે જે બે વિભાગમાં વહેંચાયેલું છે તેના બન્ને વિભાગો વરસાદી મીઠા પાણી થી સચરાચર ભરાયા છે જેના પરિણામે ત્રણેક વર્ષ થી પાણી ની અછત ભોગવતું પક્ષી અભ્યારણ્ય આ વરસે હજુ પણ છલકાઇ રહયું છે. હજુ સુધી પાણી ની આવક શરૂ રહેતા પક્ષીઓના નેસ્ટીંગ પર થોડી માઠી અસર જોવા મળી છે. પરંતુ આ વરસે અહીં દેશ-વિદેશના પક્ષીઓ માટે શિયાળો ખુબ સારો રહેવાની શકયતા હોવાનું અને પક્ષીઓ એપ્રિલ-૨૦૨૦ સુધી જોવા મળી શકે તેવી આશા ઇન્ચાર્જ આર.એફ.ઓ. દક્ષાબેન વધાસીયા જણાવી રહયા છે. ૩૦૦ થી વધુ પ્રજાતિના દેશ-વિદેશના પક્ષીઓ નું સ્વર્ગ ગણાતું આ પક્ષી અભ્યારણ્ય વિશ્વના નકશા પર અંકીત છે. નવે.માં પ્રાકૃતિક શિક્ષણ શિબીરો અને સતત પક્ષી અને પર્યાવરણ પ્રેમીઓથી ધમધમતા રહેતા આ અભ્યારણ્યમાં વહિવટી તંત્ર દ્વારા પાર્ટ - ૧ માં સાયકલ ની પણ સગવડતા શરૂ કરવામાં આવેલ છે. જયારે પાર્ટ-૨ માં વાહન દ્વારા જઇ શકાય છે. વોચ ટાવર-બાઇનોકયુલર,ગાઇડ અને ઇન્ટરપ્રિટેશનની સુવિધા અને શિબિરમાં આવતા વિધાર્થીઓ ને રહેવા માટેના ડોમ ની સુવિધા પણ છે. ખિજડીયા પક્ષી અભ્યારણ્ય ની ખાસ વિશેષતા એવી મોટી ચોટલી ડુબકી તથા સ્ટોર્કની ૩ જેટલી પ્રજાતિ પણ આકર્ષણ રૂપ બની રહે છે. તરતા, જમીન પરના માળાઓ અને લોકલ પક્ષીઓની મોટી વસાહત પણ આ અભ્યારણ્યને મહેકતું રાખે છે... તો શિયાળાના મહેમાન એવા પોલિકન,કુંજ સહિતના પક્ષીઓ નો સમુહ પણ અહિં જોવા મળતો રહે છે. ચાતક અને બીજા અનેક પક્ષીઓ અહીં નજીક થી જોવા મળે છે..ખિજડીયા પક્ષી અભ્યારણ્ય .તા.૧૬ ઓકટા. થી શરૂ થયેલ છે. (તસ્વીરઃ-વિશ્વાસ ઠકકર)