સુરજબારી પુલ પાસે બંધ ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, ૧ર મુસાફરોને ઇજા
ભુજ - માળીયા (મી.) તા.ર૯ : માળિયા (મી.) સુરજબારી પુલ પાસે બંધ ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આશરે ૧૦ થી ૧ર મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
પ્રાપ્ત વિગત મુજબ વલસાડથી ભુજ તરફ જઇ રહેલ એસ.ટી. બસ રાત્રે ૩ કલાક આસપાસ માળીયા નજીક સુરજબારી પુલ પાસે હરીપર ગોળાઇથી આગળ દેવ સોલ્ટની નજીક રસ્તાની સાઇડ પર રહેલ બંધ ટ્રકની પાછળ બસ ઘુસી જતાં આશરે ૧૦ થી૧ર મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ બનાવની જાણ માળીયા, જેતપર, તથા ટોલનાકાની ૧૦૮ એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને પ્રાથમીક સારવાર મળ્યા બાદ આપવામાં આવી હતી. તેમજ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. આ દુર્ઘટનાની જાણ તંત્રને થતા તંત્ર ખડેપગે હાજર રહયું હતુ.