ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર બસ ટ્રક વચ્ચે અકસ્માતઃ કલીનરનું મોત
ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલ રામેશ્વર ટાઉનશીપ પાસે, એક ખાનગી કંપનીની લકઝરી અને ટ્રક વચ્ચે મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું મોત નિપજયુ હતુ જયારે બે થી ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. લકઝરીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા લકઝરીના ચાલકે ટ્રક પાછળ ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં સાબરકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાનાં કંડકટર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ દલપતભાઇ શાહ (ઉ.૩ર) નું મોત નિપજયુ હતું જયારે અન્ય બે થી ત્રણ વ્યકિતને ઇજા પહોંચતા સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બનાવ અંગે ટ્રકના ચાલક રમેશભાઇ વશરામભાઇ રાઠોડ રહે. ભાભર તાલુકો બનાસકાંઠા વાળાએ ખાનગી લકઝરીના ચાલક વિરૂધ્ધ પાછળથી પોતાની ગાડી ને અકસ્માત કર્યો હોવાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.