News of Thursday, 29th October 2020
કાલથી જામનગર જિલ્લાના તમામ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બે દિવસ બંધ રહેશે
તહેવારોને કારણે પૂરતી સંખ્યામાં મજૂરો ઉપલબ્ધ નહીં હોવાથી નિર્ણંય
જામનગર : હાલ જામનગર જીલ્લામાં કાર્યરત તમામ માર્કેટીંગ યાર્ડ ખાતે લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની કામગીરી ચાલી રહેલ છે. આગામી તા. ૩૦/૧૦/૨૦૨૦ થી તા. ૦૧/૧૧/ ૨૦૨૦ દરમ્યાન આવનાર તહેવાર તથા જાહેર રજાઓના કારણે પુરતી સંખ્યામાં મજુરો ઉપલબ્ઘ ન હોવાના કારણે તા. ૩૦/૧૦/૨૦૨૦ થી તા. ૦૧/૧૧/૨૦૨૦ દરમ્યાન લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની કામગીરી બંઘ રહેશે. તા. ૦૨/૧૧/૨૦૨૦ થી આ કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે જેની તમામ ખેડુત મિત્રોએ નોંઘ લેવા વિનંતી છે.તેમ જિલ્લા પુરવઠા અઘિકારીની યાદીમાં જણાવાયું છે
(7:04 pm IST)