સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

કેશુભાઇ સૌરાષ્ટ્રમાં પીવાના પાણીના પ્રશ્ને સતત પ્રયત્નશીલ રહેલા

ગુજરાતમાં જનસંઘ ભાજપના સ્થાપકો પૈકીના એક અને ગુજરાતના બે વાર મુખ્યમંત્રી રહી ચુકેલા અને સાતવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા એવા ભાજપના વરીષ્ઠ અગ્રણી અને વેરાવળ સ્થિત વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન શ્રી કેશુભાઈ પટેલનું  સવારે ૯૨ વર્ષની વયે અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી છવાઇ છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે સતત પ્રયત્નશીલ એવાશ્રી કેશુભાઈ પટેલ ગુજરાતમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતાના હૃદયમાં કાયમી યાદ રહેશે.

(4:04 pm IST)