સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

અમરેલી જીલ્લામાં કોરોનાના વધુ ૧૬ કેસ : ૧૫ને રજા અપાઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૯: ઓછો થઇ રહેલો કોરોના હવે શહેર ઉપરાંત ગામડાઓ તરફ પણ જઇ રહ્યો છે. આજે લીલીયાના હાથીગઢ ગામમાં અને અમરેલી તાલુકાના રાંઢીયા, શેડુભાર, ખાંભાના લાસા, કુંકાવાવના મોરવાડા અને બાબરાના પાનસડામાં તથા અમરેલી શહેરમાં લાઠી રોડ ગીરીરાજ સોસાયટી, બ્રાહ્મણ સોસાયટી અને સાવરકુંડલામાં મહુવા રોડ સહિત ૨, ધારીમાં ૧ અને ચલાલામાં ૨ કેસ નોંધાયા છે. કાલે ૧૬ કેસ નવા આવતા કુલ કેસની સંખ્યા ૨,૬૫૩ થઇ છે. અને ૧૫ દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે. તથા ૧૪૭ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.

(12:50 pm IST)