ધોરાજીમાં શાંતી સમીતીની બેઠક યોજાઈ
ધોરાજીઃ હિન્દુ મુસ્લીમ સમાજના તહેવારો અનૂલક્ષી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે શહેરના અગણી ઓની ઉપસ્થિતીમાં શાંતી સમીતી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધોરાજીના પીઆઇ હકૂમતસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. જેમાં અગ્રણીઓ લલીતભાઈ વોરા, અફરોઝભાઈ લકકડકૂટા, દિલીપભાઈ હોતવાણી, વી.વી વધાસીયા, બાસીતભાઈ પાનવાલા, હમીદભાઈ ગોડીલ કાસમભાઈ, અશોકભાઈ સોદરવા સહિતના અગણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મૂસ્લીમ સમાજના અગ્રણીઓ દ્વારા કોવિડ-૧૯ ની મહામારી અને અનલોક-૫ અને સરકારની ગાઇડલાઇન અને જાહેરનામાનો અમલ કરવા માટે બારમી શરીફ ના જૂલૂસ,ન્યાઝ સહિતના કાર્યક્રમો રદ કરાયાની જાહેરાત કરાઈ હતી. કોઈપણ લોકો દ્વારા કોવીડ અંગેની ગાઇડલાઇન્સનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની તાકીદ કરાઈ છે. (તસ્વીર કિશોર રાઠોડ)