મોરબીમાં એકને એક ટ્રાન્ઝેકશનના બે વખત રૂપિયા મેળવી એસ.બી.આઇ સાથે ૯૮ હજારની છેતરપિંડી
મોરબી,તા.૨૯ : એસ.બી. આઇ બેંકના મેનેજર અમિતકુમાર રામવિલાસસિંહ જાતે ભૂમિહાર (ઉંમર ૪૦) રહે મોરબી વાળાએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે લખ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા કંપની પાસે આવેલ એસ.બી.આઇ બેન્કના એ.ટી.એમ મશીનમાંથી જુદા જુદા સમયે જુદી જુદી રકમનું ટ્રાન્ઝેકશન કરીને રૂપિયા મેળવી લીધા બાદ ઓનલાઇન કમ્પ્લેનનો દુરુપયોગ કરીને ટ્રાન્જેકશન ફેઇલ થયેલ છે તે મતલબની ફરિયાદ બેંકમાં કરવામાં આવી હતી અને તેના આધારે પૈસા બેન્કમાંથી મેળવી લીધો છે આમ ઓનલાઇન ટ્રાન્જેકશન ફેઇલ થયું હોવાની ખોટી ફરિયાદ કરીને બેન્કમાંથી એકને એક ટ્રાન્ઝેકશનના બે વખત રૂપિયા મેળવીને કુલ મળીને ૯૮ હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે માટે બેન્કના મેનેજર દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ હાલમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.