સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

પોરબંદરના શીંગડા વીજ સબસ્ટેશનની અધૂરી કામગીરી પુર્ણ કરવા કિશાન સંઘની રજૂઆત

પોરબંદર તા.૨૯ : તાલુકાના શિંગડા ગામે ૬૬ કેવી સબ સ્ટેશનની અધુરી કામગીરી વહેલી તકે પુર્ણ કરવા બાબતે કિશાનસંઘ દ્વારા વીજસતાવાળાઓને રજૂઆત કરાય છે.

જીલ્લાના પોરબંદર તાલુકાના શિંગડા ગામે રાજય સરકાર ઉર્જા મંત્રાલય દ્વારા ૬૬ કેવી સબસ્ટેશનની પ્રજાહિતમાં મંજૂરી આપી ગ્રાંટ ફાળવી આપેલ. આ સબસ્ટેશનની બહુધા કામગીરી પુર્ણ થઇ ગયેલ છે પરંતુ અમુક વાદવિવાદ અને કાનુની પ્રક્રિયાના કારણે આ કામ પુર્ણ થયુ નથી આજે પણ અધુરી હાલતમાં છે અને પ્રજાને કોઇ લાભ મળેલ નથી. ગ્રાહકોને સારી ગુણવતાનો પાવર મળતો નથી તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:23 am IST)