સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

ગિરનાર બાદ હવે ચોટિલા ડુંગર પર રોપવે બનશેઃ મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો સંકેત

સરકાર ટૂંક સમયમાં ચોટિલા ડુંગર પર રોપવેનો પ્રોજેક્ટ હાથ ધરશે.: હાલમાં વિચારણાધીન

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ જણાવ્યું હતું કે ગિરનાર રોપવે સફળતાપૂર્વક શરૂ થયા પછી સરકાર ટૂંક સમયમાં ચોટિલા ડુંગર પર રોપવેનો પ્રોજેક્ટ હાથ ધરશે. આ બાબત હાલમાં વિચારણાધીન છે. ચોટિલા પર રોપવે શરૂ કરવામાં આવશે તો તેની સાથે આ સ્થળ ગુજરાતમાં રોપવેની સગવડ ધરાવતું ત્રીજું સ્થળ બની જશે. ગિરનાર રોપવેનું વડાપ્રધાન દ્વારા તાજેતરમાં જ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે

(11:18 pm IST)