News of Thursday, 29th September 2022
વિસાવદર પાલિકા દ્વારા કાલે વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૯: વિસાવદર નગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ કાલે તા ૩૦ સાંજે ૫-૩૦ કલાકે રાખેલ છે જેથી નગરજનોએ આ કાર્યક્રમમા સહભાગી થવા પાલિકા પ્રમુખ કૌશીકભાઈ વાઘેલા,ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ડોબરિયા, ચીફ ઓફિસર એચ.કે.નંદાણીયાએ અનુરોધ કર્યો છે.
(1:51 pm IST)