News of Tuesday, 29th September 2020
અમરેલી સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત : ટવીટ કરીને આ માહિતી આપી
તબિયત હાલ સારી ; સંપર્કમાં આવનારને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી
અમરેલી : રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બની રહ્યો છે. ત્યારે વધુ એક સાંસદ કોરોના સંક્રમિત બન્યા છે. અમરેલીના સાંસદ નારણ કાછડિયા કોરોનાની ઝપટે ચઢ્યા છે. તેમને ટવીટ કરીને આ માહિતી આપી છે. સાંસદ નારણ કાછડિયાની તબિયત હાલ સારી છે. તેમણે સંપર્કમાં આવનારને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
નોધનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૧.30 લાખને પાર કરી ચુકી છે. ત્યારે હજુ પણ કોરોના ૧૪૦૦+ કેસ રોજ સામે આવી રહ્યા છે. સરકાર કોરોના સામે લડવા માટે અથાક પ્રયાસો કરી રહી છે. પરંતુ કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે.
(2:11 pm IST)