સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

જૂનાગઢમાં કોરોનાનો કહેર : નવા 33 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 16 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, વિસાવદરમાં 7 કેસ,માણાવદરમાં 2 કેસ, કેશોદ, ભેસાણ,માળીયા,મેંદરડા,માંગરોળ અને વંથલીમાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 33 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં  વધુ 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલ 33 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 16 કેસ, ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે જયારે જિલ્લાના વિસાવદરમાં 7 કેસ,માણાવદરમાં 2 કેસ, કેશોદ, ભેસાણ ,માળીયા ,મેંદરડા,માંગરોળ અને વંથલીમાં એક એક કેસ નોંધાયોછે 

(9:46 pm IST)