સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

જામાનગરમાં એસપી ઓફિસ ખાતે આગામી રથયાત્રાના તહેવારનેલઇને હિન્દૂ-મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

પોલીસ અધિકારીઓએ શાંતિ અને સુલેહ જળવાય તે માટે ખાસ શાંતિ સમિતિની બેઠક બોલાવી ઉપસ્થિત અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી

 જામનગરમાં એસપી ઓફિસ ખાતે આગામી રથયાત્રાના તહેવારને લઈને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ સાથે એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયદીપસિંહ ઝાલા, એસ. ઓ.જી. પી આઈ આર બી વીંછી, સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ કે.જે. ભોયે સહિતના પોલીસ અધિકારીઓએ શાંતિ અને સુલેહ જળવાય તે માટે ખાસ શાંતિ સમિતિની બેઠક બોલાવી ઉપસ્થિત અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી .(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(8:22 pm IST)