News of Wednesday, 29th June 2022
રથયાત્રા ઉત્સવ નિમિતે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર
દેવભૂમિ દ્વારકા,તા. ૨૯ : આગામી તા. ૧/૭/૨૦૨૨ને શુક્રવારના અષાઢ સુદ ૨ (અષાઢી બીજ)ના દિવસે શ્રી દ્વારકાધીશ મંદિરમાં ‘રથયાત્રા ઉત્સવ' હોવાથી શ્રીજીના દર્શનનો ક્રમ આ પ્રમાણ રહેશે.
સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ તથા સાંજનો ક્રમ ‘રથયાત્રા' ઉત્સવ દર્શન સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી ત્યારબાદ નિત્યક્રમ મુજબ રહેશે. તેમ વહિવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
(11:59 am IST)