સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

જૂનાગઢના શ્રી જ્ઞાતિ સેવા સંઘના સભ્‍યોની ઇન્‍દ્રનીલભાઈ રાજ્‍યગુરુ સાથે શુભેચ્‍છા મુલાકાત

જૂનાગઢ : શ્રી જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ તેમજ બ્રહ્મ અગ્રણી તેમજ રાજકીય અગ્રણી ઇન્‍દ્રનીલભાઈ રાજ્‍યગુરુનો જન્‍મદિવસ હોવાથી શુભેચ્‍છાઓ પાઠવવા શ્રી જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ રસિકભાઈ જોષી, ઉપપ્રમુખ પરશુરામભાઇ બોરીસાગર, સંજયભાઈ દવે, રતીભાઈ મહેતા, મહામંત્રી બાબુભાઇ જોષી, તંત્રી ઈશ્વરભાઈ તેરૈયા,પૂર્વ પ્રમુખ ગુણવંતભાઈ ભરાડ,  ધનસુખભાઈ મહેતા, કશ્‍યપભાઈ દવે, અશોકભાઈ જોષી રાજ્‍યગુરુ વાડીએ રૂબરૂ જઈશુભેચ્‍છાઓ પાઠવી હતી તથા શ્રી જ્ઞાતિ સેવા સંઘની સામાન્‍ય સભા વિશે ચર્ચા કરી શ્રી વિદ્યાર્થી ભુવન-અમદાવાદના નિર્માણની વિગતો જણાવી હતી, લોકાર્પણ સમારંભની તારીખથી વાકેફ કર્યા હતા. તેવું ઈશ્વરભાઈ તેરૈયા રાજકોટની યાદીમાં જણાવાયું છે.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:34 am IST)