કેશોદમાં અગ્નિપથ યોજનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા આવેદન
(કમલેશ જોષી ) : કેશોદ : કેશોદ કોંગ્રેસ પરિવાર દ્વારા કેન્દ્ર સરકારના અગ્નિપથ યોજનાના વિરોધ બાબતે દેશના યુવાનો કે જેઓના હાથમાં દેશની સુરક્ષા સોંપવાની છે તે જ યુવાનોનું અગ્નિપથ ના નામે ફકત ૪ વર્ષ નોકરી આપી શોષણ કરવામાં આવનાર છે. ૪ વર્ષ બાદ આ યુવાનો શિક્ષિત બેરોજગાર બનશે, અગ્નિપથ માં ૪ વર્ષ સેવા આપી આ યુવાનો કોઈ મજુરીકામ નહી કરી શકે, તેમના માન સન્માન સાથે રોજગારી મેળવવાની તક તેઓ ગુમાવી ચકશે. જેથી અગ્નિપથના નામે દેશના યુવાનોનું શોષણ કરવાનું અને ગુમરાહ કરવાનું બંધ કરવું કરે.જેથી પરણા કાર્યક્રમ કરી સરકારના અગ્નિપથ યોજનાનો સખત શબ્દોમાં વિરોધ કરી અગ્નિપથ યોજના બાબતે મામલતદરને આવેદનપત્ર આપી ધરણા કર્યા હતા ધરણા પર બેસેલા કોંગ્રેસ હોદેદારોની પોલીસે દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં કોંગેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.