વાંકાનેર કે.કે.શાહ વિદ્યાલયમાં વૃક્ષારોપણ
વાંકાનેર : કે.કે.શાહ માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક વિદ્યાલય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ વૃક્ષારોપણ તથા રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાગૃતિ લાવવા માટેનો મુખ્ય હેતુ હતો. જેમાં ઉપરોકત કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તેમજ ટ્રસ્ટીઓ પૂર્વ છાત્રાઓ તેમજ મોરબીના ઉદ્યોગપતિ અલ્પેશભાઇ ટ્રસ્ટી વિનુભાઇ રૂપારેલીયા તથા વ્યવસ્થાક ધ્રુવગીરી ગોસ્વામી શાળા પ્રધાનાચાર્યન નિલેશભાઇ ધોકીયા તેમજ આચાર્ય ગણના વિરેન્દ્રભાઇ પુરોહીત, ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા વૃક્ષારોપણ તથા રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓ એ પણ સાથે રહી વૃક્ષારોપણ કર્યું હતુ ઉપરોકત શિક્ષણગણે વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ વિદ્યાલયના આચાર્યશ્રી ભૂપતભાઇ છૈયા રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ :લિતેશ ચંદારાણા-વાંકાનેર)