ભાવનગરઃ સગાઇ કરેલ યુવક-યુવતિએ દવા પીધીઃ યુવતિનું મોત
દિવાળી પહેલા લગ્ન કરવા હતા પરંતુ વહેલા લગ્ન ન થનાર હોવાથી રાજસ્થળી ગામે શેત્રુંજી નદીના કાંઠે ઝેરી દવા ગટગટાવી
ભાવનગર તા. ર૯ :.. ભાવનગરના નાની રાજસ્થળી ગામે શેત્રુંજી નદીના કાંઠે જઇ સગાઇ કરેલ યુવક-યુવતીએ સજોડે ઝેરી દવા પી જતાં વાગ્દત્તા (યુવતી)નું મોત નિપજયુ છે. જયારે યુવકની સ્થિતી ગંભીર ગણાવાઇ રહી છે.
ભાવનગર જીલ્લાનાં પાલીતાણા તાલુકાનાં મેઢા ગામે રહેતા સંગીતાબેન હિંમતભાઇ સોલંકી ઉ.ર૩ ની સગાઇ પાલીતાણાનાં નોંધણવદર ગામે રહેતાં દિલીપભાઇ અશોકભાઇ પરમાર ઉ.રપ સાથે થઇ હતી અને દિવાળી પછી બન્ને નાં લગ્ન પણ થવાનાં હતાં.
પરંતુ તેઓને વહેલા લગ્ન કરવા હોય જે અંગે બન્ને નાં પરિવારજનો વચ્ચે મનદુઃખ હતું આથી યુવક-યુવતી પોત પોતાનાં ઘરેથી નીકળી ગયા હતા અને પાલીતાણાનાં નામી રાજસ્થળી ગામે શેત્રુંજી નદીના કાંઠે જઇ બન્ને એ સજોડે ઝેરી દવા પી લીધી હતી.
બન્ને ને ગંભીર હાલતે પાલીતાણાની માનસિંહજી હોસ્પીટલ ખસેડાયેલ જયાં વાગ્દતા સંગીતાબેનનું મોત નિપજયુ હતું. જયારે દિલીપભાઇની સ્થિતિ પણ ગંભીર ગણાવાઇ રહી છે.