સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

તળાજામાં ૨.૧૨ કરોડના ખર્ચે બનેલ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ

દિવ્યાંગો માટે અલગ શૌચાલયોઃ મહિલાઓ માટે આરામગૃહોની પણ વ્યવસ્થા

ભાવનગર, તા. ૨૯ :. ભાવનગર જિલ્લાના તળાજામાં ૨ કરોડ ૧૨ લાખના ખર્ચે તૈયાર થયેલ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યકક્ષાના પરિવહન મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયુ હતું.

આ નવા બંધાયેલા બસ સ્ટેશનને પ્રિકાષ્ટ મોડેલથી તૈયાર કરવામાં આવ્યુ છે અને દિવ્યાંગો માટે અલગ સ્લોટ અને શૌચાલયો બનાવવામાં આવ્યા છે. તેમજ મહિલાઓ માટે અલગથી આરામગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક પ્રકારના જેવા કે પેપર, રમકડા, કેન્ટીન સહિતના સ્ટોલો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને અહીંના ડેપોને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે.

(11:44 am IST)