જામનગરમાં એપ્રેન્ટીસ ભરતી મેળાની સમીક્ષા બેઠક
જામનગર, તા.૨૯: જામનગરના શંકરટેકરી જી.આઇ.ડી.સી. ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત યોજાનાર એપ્રેન્ટીસ ભરતી મેળા અંગેની સમિક્ષા બેઠક જિલ્લા કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
ધોરણ ૮ કે તેની વધુ શૈક્ષણીક લાયકાત ધરાવતા યુવાનોને જામનગર જિલ્લાની વિવિધ કંપનીમાં એપ્રેન્ટીશની તાલીમ મળે તે માટે આયોજન અને અમલીકરણ માટે સમીક્ષા કરવામાં આવેલ હતી અને ૫૦૦થી વધુ જગ્યાઓ માટે આખરી પસંદગી કરી ઉમેદવારોને રોજગાર મળે તે માટે પ્રયાસ કરવા કલેકટરશ્રીએ જણાવેલ હતું.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બારડ, પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કે.જે. જાડેજા, આઇ.ટી.આઇ. પ્રિન્સીપાલશ્રી જે.પી. ચોટાઇ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ભાલોડીયા તેમજ સબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.